આણંદના અંબાલી ગામમાં જુની અદાવતમાં મહિલાને જીવતી સળગાવી દેવા પ્રયાસઃ છ શખ્સોનું કારસ્તાન
આણંદઃ જિલ્લાના અંબાલી ગામની સીમમાં જુની અદાવતના કારણે છ શખ્સોઅે અેક મહિલાને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંબાલી ગામની ભાથીપુરા સીમમાં નીશાળ સામે રહેતાં કોકીલાબેન કનુભાઈ પઢીયારને પોતાના ઘરની સામે આવેલા રસ્તા બાબતે નજીકમાં રહેતાં મનુભાઈ ફતાભાઈ પઢીયારની સાથે વિવાદ ચાલતો હતો અને અવાર નવાર ઝઘડાઓ થતાં હતાં. બપોરના સુમારે કોકીલાબેન પોતાના ઘરની પાસે સુઈ રહ્યાં હતાં ત્યારે મનુભાઈ પઢીયાર સહિત છ જણાંએ રસ્તા બાબતનાં ઝઘડાની અદાવત રાખી કોકીલાબેનના ઘર પાસે આવી સુઈ રહેલાં કોકીલાબેન પર કેરોસીન રેડી દીવાળી ચાંપી હત્યા કરવાના ઈરાદે જીવતા સળગાવી મુકવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાને લઈને બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને ગંભીર પણે દાઝી ગયેલાં કોકીલાબેનને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડયાં હતાં. જે બનાવ અંગે આંકલાવ પોલીસે કોકીલાબેન કનુભાઈ પઢીયારની ફરીયાદના આધારે મનુભાઈ ફતાભાઈ પઢીયાર, રંજનબેન મનુભાઈ પઢીયાર, લાલાભાઈ પઢીયાર, લીલાબેન રમણભાઈ પઢીયાર, પુનીબેન ટીકાભાઈ પઢીયાર, બાલાભાઈ પરબતભાઈ પઢીયાર તમામ રહે. અંબાલી ભાથીપુરા વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.