ગુજરાત
News of Tuesday, 13th March 2018

કપડવંજ નજીક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

કપડવંજ: નજીકના એક ગામે રહેતા યુવકે ગામની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. ત્યાર બાદ યુવકે તેણીની મરજી વિરૃધ્ધ કૃત્ય આચર્યુ હતું. આથી અંગે સગીરાના પિતાએ આતરસુંબા પોલીસ મથકે કૃત્ય આચરનાર યુવક વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.

તાલુકાના નિકોલ તાબેના કેસરપુરામાં અશ્વિન રયજી પરમારે ગત તા.૧૦મી માર્ચના રોજ ગામમાં રહેતી એક ૧૫ વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. ત્યારબાદ અશ્વિને સગીરાને ગામની નજીક આવેલ ખેતરમાં લઈ આવ્યો હતો. જ્યાં છાપરા નીચે અશ્વિને સગીરા સાથે તેણીની મરજી વિરૃધ્ધ કૃત્ય આચરી શારીરિક સંબધ બાંધ્યા હતા. પછી વહેલી સવારે અશ્વિને સગીરાને તેણીના ઘરે મૂકી આવ્યો હતો. વાત  સગીરાએ પોતાના માતા-પિતાને કહેતા તેણીના પિતાએ અશ્વિન પરમાર વિરૃધ્ધ આતરસુંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોસ્કો મુજબની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

(6:18 pm IST)