News of Tuesday, 13th March 2018
અમદાવાદમાં NSUI અને ABVP કાર્યકરો વચ્ચે બઘડાટી:યુવકને હોકી,ડંડા અને છરીના ઘા માર્યા
નવરંગપુરાની સોમલલિત કોલેજમાં ધીંગાણું :અશ્વિન લોઈને હોસ્પિટલે ખસેડાયો ;ઉર્વીશ કોઠારી સામે ફરિયાદ
અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમલલિત કોલેજમાં NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે નજીવી બાબતે મારામારી થઈ હતી.જેમાં એક યુવકને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા.તથા હોકી, ડંડા વડે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના કારણે યુવક અશ્વિન પંચાલને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
બીજી તરફ યુવક અશ્વિન લોઈની લથપથ હાલતમાં આરોપી ઉર્વિશ ઠાકોર સામે ફરિયાદ નોંધાવવા માટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પરંતુ પોલીસ માત્ર અરજી લઈ યુવકને સારવાર માટે ખસેડયો હતો.
(3:54 pm IST)