ગુજરાત
News of Tuesday, 13th March 2018

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબનું અમદાવાદમાં આગમન

જસદણ તા. ૧૩ :.. વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજની ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલભાઇ સાહેબ, 'સૈફુદીન' (ત.ઉ.શ.) આજે મંગળવારે સવારે ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદ ખાતે આવતા હજારો વ્હોરા અનુયાયીઓમાં ખુશાલી છવાઇ છે.

અમદાવાદના સરસપુર વિસ્તારમાં મદફન થયેલા મહાન ઓલિયા કુત્બુદીન શહીદનો આજે મંગળવાર અને કાલે બુધવારે બે દિવસીય ઉર્ષ મુબારક તે સંદર્ભે તાજદાર ડો. સૈયદના સાહેબ ઉજ્જૈન શહેરથી અમદાવાદ સવારે પધારી તેઓ સરસપુર વિસ્તારમાં આવેલ. કુત્બુદીન શહીદના મજાર પર માથું ટેકવવા આવેલ ત્યાં બહોળી સંખ્યામાં આવેલ વ્હોરા બિરાદરોએ તેમના દિદાર કરી ધન્યતા અનુભવી હતી.

(11:23 am IST)