News of Tuesday, 13th March 2018
ઇન્ડીગોના વિમાનમાં એન્જીનની ખામી સર્જાતા અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડીંગઃ ૧પ૦ મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયેલ
અમદાવાદઃ ઇન્ડીગો એરલાયન્સમાં વિમાનના એન્જીનમાં ખામી સર્જાતા આ વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. સફળ લેન્ડીંગ થતા વિમાનમાં રહેલ ૧પ૦થી વધુ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ વિમાનમાં ઉડ્યા બાદ ૨૫ મિનીટ પછી તેનું એન્જીન બંધ થઈ ગયું હતું. આ ફલાઈટ અમદાવાદથી લખનઉ જઈ રહી હતી. જેને એન્જીનમાં ખામી સર્જાતા પરત અમદાવાદ લાવવામાં આવી હતી.
(9:43 am IST)