ભરૂચમાં અહેમદભાઇ પટેલની ગ્રાન્ટમાંથી પેવર રસ્તાના કામનો પ્રારંભ
ભરૂચઃ સાંસદ અહેમદભાઇ પટેલની ગ્રાન્ટમાંથી કોમન પ્લોટમાં પેવર કામનો પ્રારંભ કરાયો છે. સાંસદ અહેમદભાઈ પટેલ ભરૂચ જીલ્લાના વિકાસ અંગે સતત કાર્ય કરતા રહે છે. તાજેતરમાં નારાયણ નગર – ૪ માં કોમન પ્લોટમાં સાંસદ અહેમદભાઈ પટેલની ગ્રાંટમાંથી રૂપિયા ૨ લાખ ફાળવી પેવર બ્લોક નાખવામાં આવ્યા. આમ કરવાથી નારાયણ નગર – ૪ નાં કોમન પ્લોટની ગંદકી ની સમસ્યાનો ઉકેલ આવેલ છે. લોકાર્પણ કાર્યક્રમ ભરૂચ નગરના કોંગ્રેસના પ્રમુખ બળવંતસિંહે સાંસદ અહેમદભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને કાઉન્સીલર સલીમભાઈ અમદાવાદી, શહેર કોંગ્રેસ નાં ઉપપ્રમુખ દિનેશભાઈ અડવાણી, સુરેશ ભાઈ બરવર, લુખમાનભાઈ પટેલ, ઇન્દ્રસિંહ પરમાર, જુબેરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક રહીશોએ તેમની સમસ્યાનો ઉકેલ આવતા આનંદની લાગણી વ્યકત કરી હતી.