કોરોના રસીકરણ માટે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બિમારીવાળાને ડોઝ અપાશેઃ મોબાઇલ ઉપર એસએમએસથી જાણકારી અપાશે
ગાંધીનગર: 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશનની શરૂઆત થવા જઇ રહી છે. દરેક વ્યક્તિને કોરોના વેક્સીનના બે ડોઝ આપવામાં આવશે. આ માટે પહેલા પોતાનું રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. તે બાદ કો-વિન એપ દ્વારા રસી લાગવાની તારીખ, સ્થળ અને અન્ય જાણકારી આપવામાં આવશે. બન્ને ડોઝ લાગ્યા બાદ વ્યક્તિના ફોન પર જ સર્ટિફિકેટ પણ આવી જશે.
- પહેલા કોને આપવામાં આવશે વેક્સીન
અત્યારે 3 કરોડ કોરોના વોરિયર્સને વેક્સીન લગાવવામાં આવશે. જે બાદ ફ્રંટલાઇન વર્કસ, 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો અને ગંભીર બીમારી ધરાવતા લોકોને ડોઝ આપવામાં આવશે.
– નોંધણી બાદ તમારા તરફથી અપાયેલા મોબાઇલ નંબર પર તમને SMS મળશે.
– પહેલો SMS નોંધણીની મંજૂરી માટે આવશે
– બીજો SMS તમને રસીકરણના દિવસે, સમય અને સ્થળની માહિતી આપવામાં આવશે.
– ત્રીજો SMS રસી આપ્યાનો અને રસીકરણની હવે પછીની તારીખની માહિતી માટે આવશે.
– બીજો ડોઝ લગાવ્યા બાદ ચોથો SMS આવશે જેમાં ડિજીટલ પ્રમાણપત્રની લિંક પણ હશે.