મહેસાણામાં માર્કેટ બનાવવાના બહાને મુંબઈના વેપારી સાથે ભેજાબાજે 2.14 કરોડની છેતરપિંડી આચરી
મહેસાણા:શહેરમાં માલગોડાઉન વિસ્તારમાં માર્કેટ બનાવવાના નામે મુંબઇના સોનાચાંદીના એક વેપારી સાથે રૃ.૨.૧૪ કરોડની છેતરપીંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સંદર્ભે વંદન કન્સટ્રકશન નામની પેઢીના બે ભાગીદારો વિરૃધ્ધ બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઇના નેપન્સી રોડ ઉપર રહેતા સોનાચાંદીના દાગીનાના વેપારી નક્ષત્ર વિમલેશ સાવંતરાજ મહેતાના પિતા સાથે આશરે આઠેક વર્ષ પહેલાં મહેસાણાના માલગોડાઉન વિસ્તારમાં આવેલ સ્વસ્તીક સોસાયટીમાં રહેતા પટેલ પ્રણવ મણીલાલ સાથે સંપર્ક થતો હતો. તેમણે પોતાની ભાગીદારી પેઢી વંદન કન્સ્ટરકશન થકી મહેસાણાના માલગોડાઉન રોડ પર માર્કેટ બનાવવાના છીએ તેવું જણાવેલ જેથી તેઓઆ પ્રોજેકટમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતીઆ અંગે નક્ષત્ર મહેતાએ મહેસાણા બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બે વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ આરંભી છે.