ગુજરાત
News of Sunday, 13th January 2019

રાજ્યના વધુ 8 તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર :179 કરોડની ફાળવણી

પડધરી તાલુકાના 50 જેટલા ગામોના ખેડૂતોના ખાતામાં રોકડ સહાય ચૂકવવાનું શરુ

 

અમદાવાદ :ગુજરાતમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો હોવાથી ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. સરકારે અત્યાર સુધીમાં લગભગ 96 જેટલા તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા છે. દરમિયાન વધુ 8 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરીને તાલુકાઓ માટે 179 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પડધરી તાલુકાના 50 જેટલા ગામના ખેડૂતોના ખાતામાં રોકડ સહાય ચુકવવાની શરૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય તાલુકાઓમાં પણ સહાય ચુકવવાનું શરૂ કરવામાં આવશે.

 

(11:14 pm IST)