સુરતમાં માનસિક બીમાર પત્નીએ ફિનાઈલ ગટગટાવી જીવનનો અંત કર્યો
સુરત: સરથાણાના યોગી ચોક વિસ્તારના દિવ્યકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર નારાયણ ઢોલરીયા ગત સાંજે બિમાર પુત્રીને ડોકટર પાસે લઇ ગયા હતા અને પુત્ર તથા બહેન અને પત્ની રેખા (ઉ.વ.45) ઘરે હતા. આ અરસામાં રેખાબેને બાથરૃમમાં જઇ ફિનાઇલ પી લીધું હતું. એકાદ કલાક સુધી રેખાબેન બહાર નહિ આવતા નણંદને શંકા જતા દરવાજો તોડી નાંખ્યો હતો અને બેભાન હાલતમાં રેખાબેનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ટુંકી સારવાર દરમ્યાન રેખાબેનનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે રેખાબેન છેલ્લા ચારેક વર્ષથી માનસિક બિમાર હતા અને અને તેમનો તબીબી ઇલાજ પણ ચાલી રહ્યો હતો. પરંતુ ગત રોજ અચાનક જ તેમણે આપઘાતનું આત્યાંતિક પગલું ભરી લેતા એક પુત્ર અને એક પુત્રીએ માતાનું છત્ર ગુમાવવાનો વારો આવ્યો હતો.