15મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં પ્રાર્થનાસભા
સરદાર પટેલની પુણ્યતિથિએ કેવડિયા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે -સભા સંબોધશે :રાજ્યપાલ-મુખ્યમંત્રી અને રેલવેપ્રધાન સહિતના રહેશે ઉપસ્થિત
અમદાવાદ :આગામી 15 ડીસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભા યોજાશે.નર્મદા જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે બાદ રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.તેઓ કેવડિયા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે અને જાહેર સભાને સંબોધશે.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય રેલવે પ્રધાન, કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો પણ જોડાશે.
કેવડીયાને વડોદરા-ડભોઇ-ચાણોદ બ્રોડગેજ લાઈનથી જોડવાના પ્રોજેકટ હેઠળ રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત થશે. રાષ્ટ્રપતિની મુલાકાતને સફળ બનાવવા માટે રેલવે વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, નર્મદા નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવતકર્તાઓએ તૈયારીઓ શરૂ કરી છે.