News of Tuesday, 12th November 2019
નડિયાદના માતરમાં ગેરકાયદે દબાણ દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીઓની ઓફિસે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
નડિયાદ: શહેરમાં સર્વ સમાજ સેના ગુજરાત દ્વારા આજ રોજ જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ આવેદન પત્ર પાઠવ્યુ છે.જેમાં માલાવાડા ગ્રામ પંચાયતમાં થયેલ દબાણ અંગે ઉગ્ર રજૂઆત કરાઇ હતી.
સર્વ સમાજ સેના ગુજરાત દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે ખેડા જિલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામમાં રહેતા ભાનુભાઇ રાઠોડની જગ્યાની સામે ગ્રામપંચાયતના રસ્તા ઉપર માથાભારે ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. આ બાબતે ભાનુભાઇ દ્વારા છેલ્લા ૪ મહિનાથી વિવિધ સરકારી ઓફિસોમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતા ગ્રામ પંચાયત કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હજી સુધી કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.
(5:56 pm IST)