ગુજરાત
News of Tuesday, 12th November 2019

અમદાવાદમાં કાંકરિયા રાઈડ દુર્ઘટના બાદ ફરીવાર રાઇડ્સ શરૂ કરવા તજવીજ : વિપક્ષના ગંભીર આક્ષેપ

નવી નીતી બનાવાઇ ન હોવાથી જુની નીતી અને શરત પ્રમાણે રાઇડસ શરુ થાય તેવી શકયતા

અમદાવાદના કાંકરિયા રાઇડ દુર્ઘટના બાદ હવે થોડા દિવસમા આ રાઇડસ ફરી શરુ થશે. રાઇડસની ચકાસણી માટે બનાવામા આવેલ કમીટીએ સ્થળની મુલાકાત લઇ રાઇડસની ચકાસણી કરી છે. જેથી આ અંગે રાઇડસ ચલાવાની મંજુરી મળતા તે શરુ કરી દેવામા આવશે. વળી મહત્વની વાત તો એ છે કે નવી નીતી બનાવાઇ ન હોવાથી જુની નીતી અને શરત પ્રમાણે રાઇડસ શરુ થાય તેમ લાગે છે. નોંધનીય છેકે ત્યારે આ બાબતને લઇ વિપક્ષે ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.

(9:29 am IST)