ગુજરાત
News of Friday, 12th October 2018

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો ભરડો : ૪૦ નવા મામલા

સ્વાઇન ફ્લુથી વધુ બેના મોત : મૃતાંક વધ્યોઃ અમદાાદમાં સ્વાઈન ફ્લુના નવા ૧૯ કેસ થયા : ૩૬૦થી વધુ લોકો હજુય સારવાર હેઠળ : તંત્ર દ્વારા વિવિધ પગલા

અમદાવાદ, તા.૧૨: ગુજરાતને સ્વાઈન ફ્લુના લીધે વધુ બે લોકોના આજે મોત થયા હતા. આની સાથે જ મોતનો આંકડો અતિ ઝડપથી વધી રહ્યો છે. મોટી સંખ્યામાં હજુ પણ લોકો સારવાર હેઠળ છે. મોતનો આંકડો આજે વધીને સત્તાવારરીતે ૩૩ ઉપર પહોંચ્યો હતો જ્યારે આ વર્ષે હજુ સુધી ૫૦ના મોત થઇ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના નવા ૪૦ કેસો સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ કુલ દર્દીઓની સંખ્યા વધીને ૧૩૦૩ પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં ૧૯ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે. હજુ પણ મોટી સંખ્યામાં દર્દી સારવાર હેઠળ છે. મળેલી માહિતી મુજબ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૩૫૯થી વધુ છે. સૌથી વધારે મોત અમદાવાદમાં નોંધાયા છે. બીજી બાજુ જાણકાર લોકોનું કહેવું છે કે, અમદાવાદમાં મોતનો આંકડો વધુ હોઈ શકે છે. સ્વાઈન ફ્લુને લઇને માહિતી છુપાવવામાં આવી રહી છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેની અસર દેખાઈ રહી નથી. કેસોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરની હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લુના ઓક્ટોબર મહિનામાં જ અનેક નવા કેસો નોંધાઈ ચુક્યા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો સપ્ટેમ્બર બાદ ૩૩ ઉપર પહોંચ્યો છે જ્યારે આ વર્ષે હજુ સુધી ૫૦ના મોત થઇ ચુક્યા છે. અમદાવાદ શહેરમાં મોત થવા માટેના કારણોમાં પુરતી સુવિધાનો પણ અભાવ દેખાઈ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર બાદથી રાજ્યમાં સ્વાઈન ફ્લુના ૧૩૦૩થી પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાઈન ફ્લુના જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે જેથી મિડિયામાં પણ સ્વાઈન ફ્લુના કેસોના આંકડા જુદા જુદા નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના કેસો હજુ પણ નોેંધાય તેવી શક્યતા છે. સ્વાઈન ફ્લુના લીધે તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

(10:15 pm IST)