News of Friday, 12th October 2018
પરપ્રાંતીય પ્રશ્ને કોઇ બયાનબાજી નહિ કરવા તાકીદ : પૃથ્વી પટેલને પં.બ.ની જન સંપર્ક યાત્રાની જવાબદારી સોંપતા અમિતભાઇ
ગુજરાત પ્રવાસ પુરો કરી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ દિલ્હી જવા રવાના
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે ગુજરાત પ્રવાસ પુરો કરી દિલ્હી જવા નિકળી ગયા છેઃ ગઇકાલે માણસામાં અમિતભાઇએ માતાના મંદિરે પૂજા કરી હતી તેમણે રાજયમાં બિનગુજરાતીઓ મુદ્દે માહિતી મેળવી હતી તેમ જાણવા મળે છે. રાજયના નેતાઓ સાથે ટેલીફોનિક સંપર્ક કરી વિગતો મેળવેલ. બિનગુજરાતીઓ મુદ્દે કોઇપણ બયાનબાજી નહિ કરવા કડક સુચના આપ્યાનું સુત્રો જણાવે છે. શ્રી અમિતભાઇ આજે નારણપુરાના ભાજપ કાર્યકરો-આગેવાનોને મળ્યા હતા. પૃથ્વી પટેલને પશ્ચિમ બંગાળ જનસંપર્ક યાત્રાનું સુકાન સોંપ્યાનું અને ૨૨ બેઠકોનો ટાર્ગેટ આપ્યાની પણ ચર્ચા છે. તેઓ સર્વેશ્રી કૌશિક જૈન, નિપમ શાહ, હર્ષદ પટેલ પૃથ્વીરાજ પટેલ સહિતના આગેવાનોને મળ્યા બાદ દિલ્હી જવા નિકળી ગયા હતા.
(3:19 pm IST)