ગુજરાતના IAS અને IPS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર લગામ :પરવાનગી લેવી ફરજીયાત
વાઈબ્રન્ટ સમિટ સુધી વિદેશ જવા પર લાગી બ્રેક :મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સૂચના
ગાંધીનગર: ગુજરાતમાં ફરજ બજાવતા IAS અને IPS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર લગામ લાગી છે રાજ્યમાં ફરજ બજાવી રહેલા કોઇ પણ અધિકારી ટ્રેનિંગ મેળવવા માટે પણ વિદેશમાં જઇ શકશે નહિ,આગામી સમયમાં ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થવાની હોવાથી મુખ્યમંત્રી કાર્યાલય તરફથી તમામ અધિકારીઓને સૂચના આદેશ કરી દેવામાં આવ્યા છે
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાગાવ્યો છે. ત્યારે કોઇ ઇમરજન્સી કેસમાં આ અધિકારીઓને વિદેશ જવા માટેની મંજૂરી આપવામાં આવશે. પંરતું તે પહેલા સામાન્ય વહીવટ વિભાગની પરમીશન લીધા બાદ જઇ શકશે
એવું મનાય છે કે તાજેતરમાં ટ્રેનિંગના મુદ્દે અનેક અધિકારીઓ વિદેશ પ્રવાસ ચાલ્યા ગયા હતા. માટે અધિકારીઓના બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા માટે મુખ્યમંત્રી કાર્યલય દ્વારા આ પ્રકારનું પગલુ ભરવામાં આવ્યું છે.