News of Thursday, 12th September 2019
ભરૂચના ગોલ્ડન બ્રિજની જળસપાટી 31.25 ફુટ પર પહોંચી: નદીમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ
ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેલા લાગી છે. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજની જળસપાટી 31.25 ફુટ પર પહોંચી છે. નર્મદા નદી બે કાંઠે વહેતા નયન રમ્ય નજારો જોવા મળી રહ્યો છે.
નર્મદા નદીમાંથી ધસમસતો પ્રવાહ વહેતો થતા લોકોએ પોતાના કેમેરામાં આ નજારો કેદ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. જેને પરિણામે સરદાર સરોવર નર્મદા ડેમ પણ તેની ઐતિહાસીક સપાટી વટાવી ગયો છે.
(10:58 pm IST)