મહેમદાવાદના હલધરવાસમાં છાશવારે વીજળી ગૂલ થઇ જતા ગ્રામજનોમાં પરેશાની: યુવાનોએ જીઇબી કચેરીમાં ઉશ્કેરાઈ હલ્લો મચાવ્યો
મહેમદાવાદ:તાલુકાના હલધરવાસમાં છાશવારે વીજ પુરવઠો ડુલ થવાના બનાવથી ગ્રામજનો પરેશાન હતાં. એમાંય વળી ગત તા.૯-૯-૧૯ ની રાત્રિના વીજ વાયરો તુટવાથી ગામમાં વીજળી ડુલ થઈ જતાં યુવાનો ઉશ્કેરાયા હતાં. અને તેઓ હલધરવાસમાં આવેલ વીજ કંપનીના સબ ડિવિઝન ખાતે પહોંચી જઈ હલ્લો મચાવ્યો હતો. એટલુ જ નહી કચેરીમાં લઘુશંકા પણ કરી હતી. આ બનાવને લઈ નાયબ ઈજનેરે મહેમદાવાદ પોલીસમાં આ તોફાની તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં જાણ કરી હોવાનું જાણવા મળેલ છે. આ અંગે હલધરવાસ એમજીવીસીએલ ઓફિસમાં ટોળાએ હુમલો કરનાર ત્રિવેદી ચિરાગકુમાર, સોની હાર્દિક, ચૌહાણ મીતકુમાર, પ્રજાપતિ ભાવેશકુમાર, શાહ દેવક, મન્સુરી સૈયદ, પ્રજાપતિ વ્રજકુમાર, શર્મા હર્ષભાઈ, પ્રજાપતિ જય, પ્રજાપતિ રાહુલ તેમજ તેમના સાથીદારો સહિતના તોફાની તત્વો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.