મહેસાણા-અમદાવાદ હાઇવે પર રેસ્ટોરંટમાં જમવાના પૈસાની તકરારમાં હોટલ માલિકના પિતા-પુત્રને ઢોરમાર મારવાની ઘટનામાં પ્રજાપતિ સમાજદ્વારા રેલી કાઢવામાં આવી
મહેસાણા:મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલ સહજાનંદ રેસ્ટોરન્ટમાં તાજેતરમાં જમવાના પૈસાની તકરારમા ંહોટલ માલીક અને તેના પુત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ગુનામાં આરોપીઓની ધરપકડ ન થતા પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું અને પ્રજાપતિ સમાજના ભોગ બનનાર પિતા-પુત્રને ન્યાય અપાવવા માંગ કરી હતી.
મહેસાણા-અમદાવાદ હાઈવે પર વોટરપાર્ક સામે આવેલ સહજાનંદ હોટલના માલીક હસમુખભાઈ પ્રજાપતિ રાત્રે પોતાના ધંધા પર હાજર હતા ત્યારે કેટલાક અસામાજીક તત્વો જમવા આવેલ અને જમ્યા પછી બીલ નથી આપવું તેમ કહી તકરાર કરી બીજા અન્ય માણસોને લઈને આવી હસમુખભાઈ પ્રજાપતિ તથા તેમના પુત્ર વિપુલભાઈ પ્રજાપતિને ધોકા, પાઈપ વડે ઢોર માર માર્યો હતો અને હોટલમા ંતોડફોડ કરી હતી અને રોકડ રકમ તથા સોનાના ઘરેણાની લૂંટ ચલાવી હતી.