News of Friday, 12th July 2019
આંકલાવમાં તસ્કરોએ મધ્યરાત્રીના સુમારે બે મકાનને નિશાન બનાવી 70 હજારની મતાની ઉઠાંતરી કરી
આંકલાવ:તાલુકાના જોષીકૂવા ગામના વણકરવાસમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ બે મકાનને નિશાન બનાવીને ૭૦ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.
ચોરીની મળતી વિગતો અનુસાર મુળ જોષીકૂવાના પરંતુ હાલમાં આણંદ-વિદ્યાનગર રોડ પર રહીને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા નરેશભાઈ કાન્તીભાઈ ચાવડાના જોષીકૂવાના બંધ મકાનમાં ગઈકાલે રાત્રીના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા અને તાળુ તોડીને અંદર પ્રવેશ કરી તિજોરી તેમજ પેટી પલંગનો બધો સામાન ફેંદી નાંખીને અંદર મૂકેલા સોના-ચાંદીના દાગીનાા તથા રોકડ રકમ, કાંડા ઘડિયાળ વગેરે મળીને કુલ ૭૦ હજારની મત્તાની ચોરી કરી લીધી હતી.
(5:07 pm IST)