વિજાપુરના કોલવાડ નજીક આંગડિયા પેઢીની લૂંટના પ્રકરણમાં લૂંટારુઓ પૈકી બે પોલીસ કર્મી હોવાનું સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ
વિજાપુર:તાલુકાના કોલવડા નજીક ત્રણ દિવસ અગાઉ આંગડીયા પેઢીના કર્મીને આંતરી તેની પાસેથી રૃા. પાંચ લાખની લૂંટ કરી સ્વીફ્ટ ગાડીમાં આવેલા લૂંટારૃઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાનો મહેસાણા એલસીબીએ ભેદ ઉકેલી નાખ્યો હતો. આ ઘટનામાં વિસનગર ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ સહિત આઠ વ્યક્તિઓની સંડોવણી ખુલી છે. જેમાંથી ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કોલવડામાં રહેતા રસિકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અમદાવાદ સ્થિત રાજેશકુમાર મગનલાલ પટેલ આંગડીયા પેઢીમાં નોકરી કરે છે. તેઓ ગત સોમવારે જયપુરથી આવેલા રૃા. ૨૫ લાખની રોકડ પેઢીમાં જમા કરાવવા માટે કોલવડાથી સવારના સુમારે અમદાવાદ જવા નીકળ્યા હતા. તે વખતે ગામમાં જ રહેતા અન્ય આંગડીયા પેઢીના કર્મી રમેશગીરી ગોસ્વામી મળતા તેમની મોટરસાયકલ ર બેઠા હતા.