ગુજરાત
News of Friday, 12th July 2019

હિંમતનગરના વીરપુર નજીક સીમમાં બાતમીના આધારે પોલીસે ગેરકાયદે ખનીજ ચોરી કરનાર બે ટ્રેકરની અટકાયત કરી

હિંમતનગર:તાલુકાના વિરપુરની સીમમાંથી ગુરૂવારે બપોર બાદ ખાણખનીજ વિભાગે બાતમીને આધારે સ્થળ તપાસ કરીને ગેરકાયદે ખનીજ ચોરી કરતા બે ટ્રેક્ટર અને એક જેસીબીને ઝડપી લઈ તેને વિરપુર પંચાયતના પ્રાંગણમાં મુકાવી દીધા હતા.

હિંમતનગર-ઈડર રોડ પર આવેલા વિરપુર ગામની સીમમાં આવેલા તળવાની બાજુના ગૌચરમાંથી કેટલાક લોકો ખાણખનીજ વિભાગની મંજુરી વિના માટીના ટ્રેક્ટર ભરીને લઈ જઈ રહ્યા છે જે બાતમીને આધારે ખાણખનીજ વિભાગના અધિકારીઓએ ગુરૂવારે બપોર બાદ વિરપુરની સીમમાં જઈને તપાસ કરતા બે ટ્રેકટર અને એક જેસીબી નજરે પડયુ હતુ.

(5:05 pm IST)