ગુજરાત
News of Friday, 12th July 2019

સરખેજ અમદાવાદ શ્રી ભારતી આશ્રમે ગુરૂપુર્ણિમાં ઉજવાશે

પૂ.ભારતીબાપુના સાનિધ્યમાં ગુરૂપૂજન સંતવાણી મહાપ્રસાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જવાહરભાઇ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

જાુનાગઢ તા. ૧ર :.. અમદાવાદ સરખેજ સ્થિત ભારતી આશ્રમ ખાતે આગામી તા. ૧૬ ને મંગળવારના રોજ શ્રી પંચદશનામ જુના અખાડાના આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજના સાનિધ્યમાં ગુરૂપુર્ણીમાં પર્વની ઉજવણી થનાર છે.

જેમાં સવારે ૭ થી ૮ પૂ. ભારતીબાપુ તેમના ગુરૂદેવ શ્રી અવંતિકાભારતીજી મહારાજની સમાધિનું શાસ્ત્રોકત વિધી સાથે પૂજન કરશે અને સવારે ૧૦ થી ૧ર પૂ. ભારતીબાપુનુ સેવક સમુદાય ભાવપૂજન કરશે. આ પ્રસંગે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, ધારાસભ્ય બાબુભાઇ પટેલ સહિતના મહાનુભાવો બાપુના આશિર્વચન મેળવશે. અને બપોરે ૧ર કલાકે મહાપ્રસાદ તેમજ રાત્રે ૧૦ કલાકે સંતવાણીના કાર્યક્રમમાં ભજન સમ્રાટ કિર્તીદાન ગઢવી, સાહિત્યકર રાજભા ગઢવી જીજ્ઞેશ કવિરાજ તથા સાથી કલાકારો પોતાની કલા રસ પીરસશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પૂ. ભારતીબાપુના માર્ગદર્શન હેઠળ મહમંડલેશ્વર શ્રી કલ્યાણાનંદભારતીયજી, શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી સ્વામી પુર્ણાનિંદભારતીજી લઘુ મહંત શ્રી મહાદેવભારતીજી વેદાંતાચાર્યશ્રી ઋષિભારતીજી અને મનોજભાઇ જોબનપુત્રા સહિત સમસ્ત ટ્રસ્ટી મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે.

(11:42 am IST)