વડનગર નજીક રાત્રીના સુમારે ડમ્પર-ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ત્રણ મોતને ભેટ્યા
વડનગર: નજીક મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે ડમ્પર ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.
વડનગર નજીક તોરણીયા વડથી શેખપુર જતા રોડ ઉપર ગત મોડીરાતે ઠાકોર મેરાજી ગીધાજી પોતાની રિક્ષામાં સગાસંબંધીઓને બેસાડી શેખપુર તરફ જઈ રહ્યા હતા. તે વખતે માર્ગમાં સામેથી પુરપાટ આવી રહેલ કપચી ભરેલી ડમ્પરના ટ્રકના ચાલકે એકાએક રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી.
જેમાં વડનગરના ઠાકોર રણજિતજી જ્યંતીજી (ઉ.વ.૧૮)નુ ઘટનાસ્થળ ઉપર જ કરૃણ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા મુસાફરો પૈકી ઠાકોર મસુરબેન રેવાજી (ઉ.વ.૬૫) અને ઠાકોર હાર્દિક મેરાજી (ઉ.વ.૧૫)નુ સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે વડનગર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.