News of Thursday, 12th July 2018
આણંદમાં અપમૃત્યુના જુદા-જુદા બે બનાવમાં બે મહિલાના કમકમાટી ભર્યા મોત
આણંદ:શહેરમાં અપમૃત્યુના બે બનાવમાં બે મહિલાઓના મોત થવા પામ્યા છે. આ અંગે શહેર પોલીસે બે અલગ-અલગ અકસ્માતે મોતના ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
આણંદ શહેરની બોરસદ ચોકડી વિસ્તારમાં રહેતી રંજનબેન દિલીપભાઈ પરમાર (ઉ. વ. ૩૭)ગત ૩૧મી તારીખના રોજ પોતાના ઘરે ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી તેણીને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત થયું હતુ.
બીજા બનાવમાં આણંદ નજીક આવેલા ગામડી બારવીઘાં વિસ્તારમાં રહેતી સ્મીતાબેન નરેશભાઈ પરમાર નામની ૩૦ વર્ષીય પરિણીતાએ ગઈકાલે સાંજના સુમારે કોઈ અગમ્ય કારણોસર સેલ્ફોસનો ઝેરી પાવડર પી લેતાં તેણીનું મોત થયું હતુ.
(5:57 pm IST)