ગુજરાત
News of Thursday, 12th July 2018

રાત્રીના સુમારે પોલીસે વહેરાવાડીમાં છાપો મારી અમદાવાદની પરિણીતા પર અત્યાચાર ગુજારનાર નરાધમની ધરપકડ કરી

ખંભોળજ:પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે વહેરાખાડી ગામે છાપો મારીને અમદાવાદની એક પરિણીતાને ધમકી આપીને તેણી ઉપર જાતીય અત્યાચાર ગુજારી ફરાર થઈ ગયેલા શખ્સને ઝડપી પાડીને વિવેકાનંદનગર પોલીસ મથકના હવાલે કર્યો હતો. 

 

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેતા એક રીક્ષાચાલક સાથે નડીઆદ તાલુકાના સુરાશામળ બાજીપુરા સ્કૂલ પાસે રહેતા જગદીશભાઈ રાવજીભાઈ ચુનારાને મિત્રતા થતા તે તેના ઘરે આવ-જા કરવા લાગ્યો હતો. દરમ્યાન રીક્ષાચાલકની માતાને જોઈને જગદીશની દાનત બગડતા તેણે એકલતાનો લાભ લઈને પુત્ર તથા તેણીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને જાતીય અત્યાચાર ગુજાર્યા બાદ વારંવાર દુષ્કર્મ કર્યું હતુ. જે અંગે પરિણીતાએ વિવેકાનંદનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી. દરમ્યાન જગદીશભાઈ ચુનારા વહેરાખાડી ગામે રહેતા તેના માસાની દિકરીને ત્યાં છુપાયો હોવાની માહિતી ખંભોળજ પોલીસને મળતાં જ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે છાપો મારીને તેને ઝડપી પાડ્યો હતો. 
 

(5:57 pm IST)