ગુજરાત
News of Thursday, 12th July 2018

અમદાવાદ રથયાત્રા:ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ : નેત્રોત્સવ વિધિ સંપન્ન

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ

અમદાવાદ :ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનું પર્વ જેમ નજીક આવી રહ્યું છે તેમ ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો છે. આ બાદ સવારે 8.00 કલાકથી નેત્રોત્સવની વિધિ શરૂ થઇ ગઇ હતી. સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે દિવસે હોય છે પરંતુ આ વખતે બે દિવસ પહેલા યોજાઇ રહી છે.

(1:53 pm IST)