News of Thursday, 12th July 2018
અમદાવાદ રથયાત્રા:ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ : નેત્રોત્સવ વિધિ સંપન્ન
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ
અમદાવાદ :ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનું પર્વ જેમ નજીક આવી રહ્યું છે તેમ ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો છે. આ બાદ સવારે 8.00 કલાકથી નેત્રોત્સવની વિધિ શરૂ થઇ ગઇ હતી. સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે દિવસે હોય છે પરંતુ આ વખતે બે દિવસ પહેલા યોજાઇ રહી છે.
(1:53 pm IST)