ગુજરાત
News of Thursday, 12th July 2018

વલસાડમાં વરસેલા ધોધમાર વરસાદના પાણી હજુ ઓસર્યા નથી :વાહન ચાલકો-રાહદારીઓને મુશ્કેલી

વલસાડમાં વરસેલા વરસાદના પાણી હજુ ઓસર્યા નથી આથી રાહદારી, વાહનચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડના ધરમપુરમાં 205 મિમી, કપરાડામાં 87 મીમી, પારડીમાં 76 મીમી અને વલસાડ સીટીમાં 115 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ પાણી 12 કલાક બાદ પણ ઓસર્યા નથી અને આથી ત્યાંથી પસાર થનારા સૌ કોઈ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

(1:05 pm IST)