News of Thursday, 12th July 2018
અમદાવાદમાં ભગવાન જગન્નથજીની રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ
અમદાવાદમાં રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા શાંતિ અને સદભાવના સાથે સારી રીતે પૂર્ણ થાય એ માટે મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે રથયાત્રા પહેલા મહંતને ચાંદીનો રથ આપવામાં આવે છે. કોમી એકતાનો સંદેશ ફેલાવવા મુસ્લિમ સમાજના મહીલાઓ અને પુરુષો ભેગા થઈને આજે મંદીર ખાતે મહંતને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. છેલ્લા 18 વર્ષથી રઉફ શૈખ બંગાળી દ્વારા હિંદુ મુસ્લીમ એકતા ફેલાવાય તે માટે રથયાત્રા અગાઉ આ રથ આપીને સંદેશ ફેલાવવામાં આવે છે.
(9:12 am IST)