ગુજરાત
News of Wednesday, 12th May 2021

અમદાવાદ જામા મસ્જિદ ઈદ નિમિત્તે નમાજ બંધ રાખવાનો નિર્ણય : ઘરમાં જ નમાજ પઢવા અપીલ

ઈમામ શબ્બીર અહેમદે DCP મકરંદ ચૌહાણ સાથે મુલાકાત કરી: ઈદ નિમિત્તે જામા મસ્જિદમાં નહિ આવવા અપીલ કરી

અમદાવાદ : કોરોના સંક્રમણના કારણે અમદાવાદની જામા મસ્જિદ ખાતે ઈદ નિમિત્તે નમાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઈદ નિમિત્તે જામા મસ્જિદમાં નમાજ પઢવામાં આવશે નહિં. જામા મસ્જિદના ઈમામ શબ્બીર અહેમદે DCP મકરંદ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કોરોનાનું સંકરણ વધ્યું છે ત્યારે અમદાવાદમાં જામા મસ્જિદ ખાતે ઈદ નિમિત્તે નમાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના તમામ મુસલમાનોને અપીલ કરી છે કે પોતાના ઘરમાં જ બે ટાઈમની નમાજ અદા કરે અને અલ્લાહની ઈબાદત કરે. તમામને વિનંતી કરી છે કે તેઓ ઈદ નિમિત્તે જામા મસ્જિદમાં ન આવે.

(12:49 am IST)