News of Wednesday, 12th May 2021
નર્મદા જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રારનું કોરોના સારવાર દરમિયાન મોત
પંચાયત ચૂંટણીઓ પહેલા જ જિલ્લા રજિસ્ટ્રાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર એ સી ચૌધરીનું કોરોના ની સારવાર દરમ્યાન વડોદરા મુકામે મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લા રજિસ્ટ્રાર તરીકે પાંચ વર્ષ ફરજ બજાવ્યા બાદ ગત જાન્યુઆરી માસમાં નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર તરીકે ચાર્જ સંભાળનાર એ સી ચૌધરીની વડોદરા મુકામે કોરોના ની સારવાર દરમ્યાન મોત નિપજતા સહકાર વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે તેઓ પાસે નર્મદા છોટાઉદેપુર ઉપરાંત વડોદરાનો પણ ચાર્જ હતો અને નર્મદા જિલ્લામાં કોરોના સંદર્ભે ધન્વંતરિ રથ ની પણ કામગીરી સંભાળતા હતા આમ જિલ્લા એ એક કોરોના વોરિયર ગુમાવ્યો છે.
(11:04 pm IST)