ગુજરાત
News of Wednesday, 12th May 2021

પિરાણા ખાતે કોરોનાના દર્દીની સારવારનો પ્રારંભ

સતપંથ સંપ્રદાયના આરોગ્યધામમાં શરૂ

અમદાવાદ, તા. ૧૨ : રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા અને ગૌ રક્ષા માટે સમર્પિત વૈદિક સનાતન સતપંથ સંપ્રદાયે કોરોનાનાં દર્દીઓ માટે વિશેષ સુવિધાઓનો અમદાવાદમાં પિરાણા ખાતે આરંભ કર્યો છે.

જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસજી મહારાજની પ્રેરણાથી પિરાણા ખાતેના પ્રેરણાપીઠ આરોગ્યધામમાં કોવિડના દર્દીઓની સારવાર અર્થે સરકાર દ્વારા સંચાલિત ઓકસીજન સાથે ૨૦ બેડ અને આઇસોલેશનના ૧૨૦ બેડની સુવિધા રમણીય વાતાવરણમાં ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણના સાનિધ્યમાં ઉપલબ્ધ હોવાનું અને વધુ વિગતો અર્થે ફોન નંબર  ૯૧૨૭૧૮૨૮૮૮૮૧ ખાતે સંપર્ક સાધવા સંસ્થાના પ્રમુખ દેવજીભાઈ પટેલે જણાવ્યું છે. તાજેતરમાં અયોધ્યાના રામ મંદિર નિર્માણ અર્થે સતપંથ સંપ્રદાયે કુલ સવા કરોડ રૂપિયા આપ્યા હતા.

(7:56 pm IST)