ભિલોડા તાલુકાના ઓડ ગામે જમીનની વહેંચણીને લઈને અદાવત રાખી ઝઘડો કરી હુમલો કરનાર 11 વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ભિલોડા:તાલુકાના ઓડ ગામે જમીનની વહેંચણીને લઈ અદાવત રાખી ઝઘડો કરાયો હતો. ગામના જ ૧૧ ઈસમો એકસંપ થઈ ફરીયાદીના ઘર ઉપર હુમલો કરી દીધો હતો અને કુહાડી ફરીયાદી બહેનના પતિને જડબાના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
જયારે છુટા પથ્થરો મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હુમલો કરાયો હતો.જેથી આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ૧૧ શખ્શો સામે ફરીયાદ નોંધાવાઈ હતી.
તાલુકાના ઓડ ગામના સવિતાબેન લક્ષ્મણભાઈ ગામેતીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓના પાડોશમાં રહેતા શંકરભાઈ ભુરાજી સહિત અન્ય શખ્શો અમારા ઘરે ગાળો બોલતા દોડી આવ્યા હતા.જેથી અમોએ ગાળો બોલવાની ના પાડતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા.જમીનની વહેંચણીની અદાવત રાખી ઘર ઉપર હુમલો કર્યો હતો.
જેમાં લક્ષ્મણભાઈ ને જડબાના ભાગે કુહાડી મારી દીધી હતી, જયારે રણછોડભાઈ ને લાકડી વડે માર માર્યો હતો અને છુટ્ટા પથ્થરો મારી ઈજાઓ પહોંચાડી હતી.આમ ૧૧ વ્યક્તિઓ એકસંપ થઈ હથિયારો અને પથ્થરો લઈ હુમલો કર્યો હતો.