ગુજરાત
News of Monday, 12th April 2021

નર્મદા જિલ્લામાં સોમવારે ૨૨ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૪૯૭ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં શ્રીજી નગરમાં ૦૧, શક્તિવિજય માં ૦૧, ટેકરા પોલીસ લાઈનમાં ૦૧, સંતોષ ચાર રસ્તા પાસે ૦૧, નવા ફળિયા માં ૦૧ તથા  નાદોદના ધાનપોરમાં ૦૧, ચિત્રાવાડીમાં ૦૧, વડીયા મા ૦૨, ઓરીમાં ૦૧ તથા ગરુડેશ્વર ના આમદલા માં ૦૧, કેવડિયામાં ૦૧,ગરુડેશ્વર માં ૦૧ તથા તિલકવાડા ના બુંજેઠામા ૦૧ તથા ડેડીયાપાડા માં ૦૩, આંબાવાડીમાં ૦૧,નવાગામ માં ૦૧ તથા સાગબારા ના સેલંબામાં ૦૧, ચોપડવાવમાં ૦૧, પાનખલા માં ૦૧,કેસ સાથે જિલ્લામાં કુલ ૨૨ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૨ દર્દી દાખલ છે, આજે ૧૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૩૪૯ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૪૯૭ પર પહોચ્યો છે.આજે વધુ ૧૪૯૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:22 pm IST)