સુરતના બંધ પડેલા સ્મશાનમાં પ્રાણ પુરાશે
કોરોના ગ્રસ્તોના અંતિમ સંસ્કાર માટે ખાસ સુરતમાં નવું સ્મશાન
સુરત : કોરોનાએ ભયજનક સપાટી કૂદાવી હોવાના કારણે લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. નિદાન, સારવારથી લઈ ઇન્જેક્શન મેળવવા સુધી તો હાડમારી ભોગવવી જ પડે છે પણ હદ તો ત્યારે થઈ કે મળતદેહના અંતિમ સંસ્કારમાં પણ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સ્થિતિને કેન્દ્રમાં રાખી સુરતમાં રાતો રાત એક નવું સ્મશાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં માત્ર કોરોનાથી મળત્યુ પામેલા મળતદેહને અંતિમ સંસ્કાર આપવામાં આવશે. ે. આટલું અધૂરું હોય તેમ એક સ્મશાન ગળહમાં તો અંતિમ સંસ્કાર માટે પણ રૂ. ૨ હજારની લાંચ લેવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પાલમાં સ્મશાન ગળહ હતું તે ૨૦૦૬થી બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલની કપરી સ્થિતિને ધ્યાને લઈ પંદર વર્ષ પછી આ સ્મશાન પુનઃ કાર્યરત કરવામાં આવી રહ્યું છે. જ્યાં વિશાળ મેદાન હોવાથી એક સાથે ૪૦ મળતદેહ સુધી અંતિમ સંસ્કાર થઈ શકશે. આ સ્મશાન ગળહમાં માત્ર અને માત્ર કોવિડ-૧૯માં મોતને ભેટેલાઓના જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હોવાના કારણે સંભવતઃ એકાદ બે દિવસમાં આ સ્મશાનગળહ કાર્યરત થઈ જશે તેમ મનાય છે.