ગુજરાત
News of Friday, 12th April 2019

ખોટા સોગંદનામાનો મામલો : સંજીવ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયા

અમદાવાદ, તા. ૧ર  : ગોધરાકાંડના બનાવ અંગે ડ્રાઇવર જોડે ખોટી એફિડેવિટ કરાવવાના મુદ્દે થયેલી ફરીયાદમાં પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયા સંજીવ ભટ્ટના વકીલે વકીલાતનામું રજૂ કરતા કોર્ટે આગામી ૪ થી જુનના રોજ મુદત રાખી છે.

ગોધરાકાંડના કોમી તોફાનોમાં પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટના ડ્રાઇવર કે.ડી. પંતે એફિડેવીટ રજૂ કરી હતી. જે એફિડેવિટ સંજીવ ભટ્ટે કરાવી હોવાની ફરીયાદ પંતે વર્ષ ર૦૧૧માં પોલીસમાંૈ કરી હતી.

જેના આધારે પોલીસે સંજીવ ભટ્ટની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકયું હતું. જે કેસમાં મુદત હોવાથી પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને જેલમાંથી મુદતે કોર્ટમાં રજૂ કરાયા હતા.

(4:23 pm IST)