આણંદમાં 24 કલાકમાં જુદા-જુદા ત્રણ અકસ્માતમાં ત્રણના કમકમાટીભર્યા મોત
આણંદ:જિલ્લામાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન ત્રણ અલગ-અલગ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જેમાં એક એક્ટીવા ચાલક તથા બે રાહદારીઓનો સમાવેશ થાય છે. અકસ્માતના આ બનાવ અંગે ઉમરેઠ પોલીસ, બોરસદ પોલીસ તથા પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠની ઓડ ચોકડીથી સારસા તરફ જવાના માર્ગ ઉપર આવેલ રેલ્વે ઓવરબ્રીજ પર બનેલ માર્ગ અકસ્માતમાં રવિવાર બપોરના સુમારે પસાર થઈ રહેલ એક ઈકો કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે હંકારી સારસા તરફથી એક્ટીવા લઈને આવી રહેલ નીલકુમાર ગગુભાઈ ઝાલાને જોરદાર ટક્કર મારતા નીલકુમાર ઝાલા ઉછળીને રોડ ઉપર પટકાયો હતો. જેને માથા તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.