મેરા પરિવાર, ભાજપા પરિવારઃ પોતાના ઘરે ઝંડો લગાવી અભિયાન આદરતા અમિતભાઇ
અમદાવાદ- ગોધરામાં કાર્યક્રમ : દેશભરમાં કાર્યકરો અભિયાન ચલાવશે
રાજકોટ તા ૧૨ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ આજે અમદાવાદ થલતેજ ખાતેના પોતાના નિવાસ સ્થાને ભાજપના કમળ નિશાનવાળોે કેસરિયો ઝંડો લગાવી '' મેરા પરિવાર, ભાજપા પરિવાર'' નો પ્રારંભ કરાવ્યો છે. લોકસભાની ચુંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા દેશવ્યાપી આ અભિયાન ઙ્ગચલાવશે.
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારીશ્રી ઓમજી માથુર, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં '' મેરા પરિવાર ભાજપા પરિવાર'' અભિયાન શરૂ થયું છે.
રોયલ એસ્ટેટ, જલસા પાર્ટીપ્લોટ, થલતેજ ચાર રસ્તા, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે ધ્વજારોહણ બાદ (શ્રી અમીતભાઇ શાહ નિવાસ સ્થાનેથી રેલી સ્વરૂપે ઓડિટોરીયમ પહોંચ્યા હતા. ત્યાંથી રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવાયો છે. આજે બપોરે ૨.૦૦ કલાકે ''કલસ્ટર સંમેલન'' (પંચમહાલ, દાહોદ, અને છોટાઉદેપુર લોકસભા બેઠકો માટેે) એસ.આર.પી. ગ્રાઉન્ડ, શહેરા રોડ, ગોધરા ખાતેયોજાયેલ છે, જેમા શ્રી શાહ સહિતના નેતાઓ સંબોધન કરશે. (૩.૬)