ગુજરાત
News of Tuesday, 12th February 2019

પંડિત દિનદયાળની પુણ્યતિથિ પર જુદા જુદા કાર્યક્રમ યોજાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના લોકોએ ડોનેશન આપ્યું : પુષ્પાજંલિના કાર્યક્રમોનું વિવિધ સ્થળોએ આયોજન થયું

અમદાવાદ,તા.૧૧ : ભાજપા મીડિયા સેલની યાદી જણાવે છે કે, આજરોજ ૧૧ ફેબ્રુઆરી 'સમર્પણ દિવસ', એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના બલિદાન દિવસે  ગુજરાત ભાજપા દ્વારા સમગ્ર રાજ્યમાં પુષ્પાંજલી કાર્યક્રમો યોજાયા હતા. સમર્પણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ભાજપાના હજારો કાર્યકર્તાઓએ નમો એપના માધ્યમથી ૫ રૂપિયાથી લઇ ૧૦૦૦ રૂપિયા સુધીની રકમ ભાજપા સંગઠનને સમર્પણ નિધિ સ્વરૂપે અર્પણ કરી હતી. ગુજરાત ભાજપા દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ સાથે સમગ્ર ગુજરાતના દરેક બુથમાં ઓછામાં ઓછા બે કાર્યકર્તાઓ નમો એપના માધ્યમથી સમર્પણ નિધિ અર્પણ કરે તે પ્રકારના કાર્યક્રમો સમર્પણ દિવસ નિમિત્તે યોજાયા હતા જે અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વડોદરા ખાતે આકોટા વિધાનસભાના વોર્ડ નંબરઃ૧૩ના બૂથ નંબરઃ૧૯૩ પર ઉપસ્થિત રહી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીને શબ્દસુમન અને પુષ્પાંજલી અર્પણ કરી સમર્પણ નિધિ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

(8:29 pm IST)