ગળતેશ્વર નજીક સગીરાને ભગાડી જનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ
ગળતેશ્વ: નજીકના એક ગામે રહેતો યુવક તેના બાજુના ગામમાં રહેતી સગીરાને ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ સેવાલીયા પોલીસ મથકે ભગાડી જનાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
તાલુકાના અંઘાડી તાબેના આનંદપુરા ગામે સંજય ચિમનભાઈ પરમાર રહે છે. તે પોતે ખેત મજૂરી કરે છે. સંજયે ગત્ તા.૮મી ફેબુ્રઆરીના રોજ રાત્રિના સમયે પોતાના બાજુના ગામમાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જતાં આસપાસના વિસ્તારોમાં ચકચાર જાગી છે.
આ અંગે સગીરાના પિતાએ સેવાલીયા પોલીસ મથકે ભગાડી જનાર સંજય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬ અને પોસ્કો મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.