કચ્છ ભાજપના ધરખમ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં સુરજીત ભાઉ ની સંડોવણી ?
મહિલા સહિત હજી ૪ શંકા ના દાયરા માં
(ભુજ) રવિવારે રાત્રે ટ્રેન માં અબડાસા ના ધારાસભ્ય જેન્તી ભાનુશાલી ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. જોકે, સત્ત્।ાવાર રીતે પોલીસ આ સમગ્ર મામલે એક બે દિવસમાં ધડાકો કરે તેવી શકયતા છે. રાજય સરકારે સીટ ની રચના કરીને પોલીસ ટીમો સાથે હત્યારાઓના સદ્યડ શોધવા સદ્યન પ્રયાસો હાથ ધર્યા હતા. કચ્છ અમદાવાદ, મુંબઈ સુધી તપાસનો દોર લંબાવીને પોલીસે ૫૦ જેટલા લોકોની પૂછપરછ હાથ ધરી હતી.
બિન સતાવાર સૂત્રો માં થી મળતી માહિતી મુજબ પોલીસે જેન્તી ભાનુશાલીના હત્યારાઓ પૈકીના એક આરોપી સુરજીત ભાઉ ની ઓળખ કરી લીધી છે. પણ, હજી પોલીસે આ વાતને અંગે સત્ત્।ાવાર સમર્થન આપ્યું નથી. જોકે, સુરજીત ભાઉ સાથે બીજો હત્યારો પણ શાર્પ શૂટર હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેન્તીભાઈ ની હત્યામાં એક મહિલા સહિત કુલ ચાર વ્યકિતઓ હજી શંકા ના દાયરા માં છે.ઙ્ગ