સુરતમાં ફાયર સેફટીના નિયમનો પાલન ન થતા 63 સંસ્થાઓને સીલ લગાવવામાં આવ્યા
સુરત: મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી અને ફુડ સેફ્ટી એક્ટના નિયમના પાલન કરવા માટે વારંવારની તાકીદ છતાં પણ પાલન ન થતાં આજે શહેરમાં ફાયર અને આરોગ્યના નિયમના ભંગ બદલ ૬૩ સંસ્થાઓને સીલ કરી દેવામાં આવી છે. સુરતની હોસ્પીટીલોમાં ફાયર સેફ્ટી માટે અગાઉ નોટીસ છતાં હજી ફાયર સેફ્ટીના સાધનો લાગ્યા નથી. આવી પાંચ હોસ્પીટલ મળી આવી હતી જોકે, ઈન્ડોર પેસન્ટ હોય મ્યુનિ. તંત્રએ આ હોસ્પીટલને સીલ કરવાના બદલે ફરી નોટીસ ફટકારી છે.
અઠવા ઝોનમાં ટયુશન ક્લાસીસમાં આગની દુર્ઘટના બાદ ફરીથી ફાયર વિભાગે કામગીરી હાથ ધરી છે. ફાયર વિભાગે તમામ હોસ્પીટલ, ટયુશન ક્લાસીસ, દુકાન અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીની સુવિધા માટે નોટીસ ફટકારી છે. તેમ છતાં જ્યાં દર્દીઓની સારવાર થાય છે તે હોસ્પીટલમાં પણ હજી ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામા ંઆવી નથી. અગાઉ નોટીસ આપી હોવા છતાં હોસ્પીટલના સંચાલકોએ ફાયર સેફ્ટીની સુવિધા ઉબી કરી ન હતી. આજે મ્યુનિ. તંત્રએ ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તો સીલીંગની કામગીરી શરૂ કરી હતી પરંતુ પાંચ હોસ્પીટલમાં દર્દી સારવાર લેતા હોવાથી સીલ કરવાના બદલે નોટીસ આપી હતી. જ્યારે ફાયર સેફ્ટીના સાધનોના અભાવે શહેરમાં ૬૩ સંસ્થા બંધ કરાવવામા ંઆવી હતી.