News of Friday, 11th January 2019
પાટીદાર અનામત આંદોલનમાં શહીદો અને પોલીસ દમનના પ્રશ્નોનું નિરાકરણ કરવા લાલજી પટેલે લખ્યો મુખ્યમંત્રીને પત્ર
ગાંધીનગર:એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. આ પત્ર પાટીદાર અનામત આંદોલનમાં 14 લોકો શહીદ મોત થયા હતા તે મામલે લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે આ 14 લોકો સરકારીની ભૂલથી શહીદ થયા છે. પોલીસે પાટીદાર બહેન દીકરી પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું હતું તેમજ આંદોલનના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવે તેમ પણ પત્રમાં લખ્યું છે.
(9:52 pm IST)