હવે ગુજકેટની પરીક્ષા ૩૦ માર્ચના બદલે તા.૪ એપ્રિલે લેવાશે
આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા
અમદાવાદ :ધો.૧૨ સાયન્સના એ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાની તારીખ ૪ એપ્રિલ ૨૦૧૯નાં રોજ ગુરૂવારે કરી દેવામાં આવી છે. આ પહેલા શિક્ષણ બોર્ડે ગુજકેટની તારીખ ૩૦મી માર્ચે જાહેર કરી હતી. આ પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં કાર્યક્રમ યોજાશે. આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે. પ્રથમ કાર્યક્રમ સૌરાષ્ટ્ર ઝોનનો સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાશે.
ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ૨૦૧૭થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.જે મુજબ ૨૦૧૯ના વર્ષ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સાયન્સ એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓની ગુજકેટ પરીક્ષા ૪ એપ્રિલ ૨૦૧૯નાં રોજ ગુરૂવારે સવારે ૧૦ થી ૪ સુધી જિલ્લાકક્ષાના કેન્દ્રો ખાતે લેવાશે.