દહેજના મામલે ધરમપુરમાં બે સંતાનની માતાને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરનાર નરાધમ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ધરમપુર:શહેરમાં બે સંતાનોની માતાને દહેજને મુદ્દે તેના પતિએ વીજકરંટ આપવાની સાથે દારૃના નશામાં દોરડાથી ફાંસો આપવાનો પ્રયાસ કરવા અંગે પત્નીએ આપેલી ફરિયાદ અરજી બાદ ધરમપુર પોલીસે પતિને જેલભેગો કરી દીધો છે. ધરમપુરના વનમાળી વિસ્તારમાં રહેતા, મૂળ ભીખમપુર, તા.દેવસરા, જિ. પ્રતાપગઢના રામજીવન અમરબહાદુર યાદવ ઘરકામ કરી, પત્ની રીટાબેન તથા બે સંતાનનું ગુજરાન ચલાવે છે.
ધરમપુરમાં બે સંતાનોની માતાને દહેજને મુદ્દે તેના પતિએ વીજકરંટ આપવાની સાથે દારૃના નશામાં દોરડાથી ફાંસો આપવાનો પ્રયાસ કરવા અંગે પત્નીએ આપેલી ફરિયાદ અરજી બાદ ધરમપુર પોલીસે પતિને જેલભેગો કરી દીધો છે. ધરમપુરના વનમાળી વિસ્તારમાં રહેતા, મૂળ ભીખમપુર, તા.દેવસરા, જિ. પ્રતાપગઢના રામજીવન અમરબહાદુર યાદવ ઘરકામ કરી, પત્ની રીટાબેન તથા બે સંતાનનું ગુજરાન ચલાવે છે.