News of Friday, 12th January 2018
તમામ કલેકટરોને બોલાવતા કૌશિક પટેલઃ ૧૮મીએ પરિષદ
રાજકોટ તા.૧ર : મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલે ૧૮ જાન્યુઆરીએ તમામ કલેકટરોને ગાંધીનગર બોલાવ્યા છે તે દિવસે ત્યાં દિવસભર કલેકટર કોન્ફરન્સ થશે. મહેસુલી તંત્રના પ્રશ્નોની સમીક્ષા કરી વહીવટની ગતિ વધારવા સુચના અપાશે. શ્રી કૌશિક પટેલ મહેસુલ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત કલેકટર કોન્ફરન્સ બોલાવી છે.(૩-૧૮)
(3:50 pm IST)