ગુજરાત
News of Wednesday, 11th December 2019

પાંડેસરામાં પ્રેમ-પ્રકરણમાં યુવકે લૂંગી બાંધી ફાસો ખાધો

સુરત:પાંડેસરામાં હરીધામ સોસાયટીમાં રહેતો 26 વર્ષીય મદન મોહન ઉર્ફ મિથુન કૃષ્ણચંન્દ્ર નાયકે ગઇ કાલે બપોરે ઘરમાં પંખા સાથે લુંગી  બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. સુત્રોએ કહ્યુ કે મદન મોહનની  કોઇ છોકરી સાથે આંખ મળી ગઇ હતી. બાદમાં તેણે પ્રેમ પ્રકરણમાં આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે. તે મુળ ઓરીસ્સાના ગંજામનો વતની હતો. તે સંચાખાતામાં કામ કરતો હતો. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ઘરી છે..

(5:43 pm IST)