રાજ્યમાં કોરોના હાંફ્યો :નવા 36 કેસ નોંધાયા: વધુ 46 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.040 થયો :કુલ 12.65,783 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 10.295 લોકોનું રસીકરણ કરાયું
મોટાભાગના કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા:રાજયમાં હાલમાં 375 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 46 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,65.783 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,040 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.11 છે
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 10,295 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,75.45.210 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે
રાજ્યમાં હાલ 375 એક્ટિવ કેસ છે.જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર છે,જ્યારે 375 દર્દીઓ સ્ટેબલ છે. .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 36 કેસમાં સુરત કોર્પોરેશનમાં 9 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 5 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં 4 કેસ, સાબરકાંઠા અને સુરતમાં 3-3 કેસ, મહેસાણા અને નવસારીમાં 2-2 કેસ અમરેલી, બનાસકાંઠા,ભરૂચ, મોરબી,રાજકોટ, વડોદરા,વડોદરા કોર્પોરેશન, અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે