વિજયભાઇને દિવાળીની શુભેચ્છા આપતા દાઉદી વ્હોરા સમાજના આગેવાનો
રાજકોટ : વિશ્વભરમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂહીઝ હોલીનેશન ડો. સૈયદનો આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.સ.)ના રાજયનો મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ખાસ દિવાળી નૂતનવર્ષની દુઆ સાથે શુભેચ્છાનો સંદેશો મોકલ્યો હતો અને ગુજરાતની સમગ્ર જનતાને પણ દિવાળી નૂતનવર્ષ દુઆ સાથે શુભેચ્છા પાઠવતો સંદશો મોકલ્યો હતો. આ પ્રસંગે ડો. સૈયદના સાહેબ (ત.ઉ.વ.શ.)ના પ્રતિનિધી તરીકે જનાબ શબ્બીરભાઇ સાહેબ નુરૂદ્દીન સાહેબ, જનાબ આમીલ સાહેબ, શેખ મુસ્તફાભાઇ મોહીયુદીન શેખ સજજાદભાઇ હીરા (ચેરમેન ગુજરાત સ્ટેટ વકફ બોર્ડ) રૂકૈયાબેન ગુલામ હુશેન (ડાયરેકટર ગુજરાત સ્ટેટ વકફ બોર્ડ) તેમજ દાઉદી વ્હોરા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ શેખ યુસુફઅલી જોહર કાર્ડસ વાલાએ યાદીમાં જણાવ્યું હતું.