ગુજરાત
News of Wednesday, 11th November 2020

રાજપીપળા કરજણ નદીના પુલ નીચે રહેતા મહિલા ભિક્ષુકનું બિમારી બાદ મોત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા :રાજપીપલા રંગ અવધૂત મંદિર પાસે કરજણ નદીના પુલ નીચે રહેતા સુમિત્રાબેન મંગાભાઈ (ઉ.વ.આ ૬૦) છેલ્લા એકાદ વર્ષથી ત્યાં રહેતા હોય અને રાજપીપલા બજારમા ભીખ માંગી જીવન જીવતા હતા જે છેલ્લા ત્રણ દિવસથી બીમાર અને વયોવૃધ્ધ હોય જેથી તેઓ આજરોજ સવારમાં મૃત્યુ પામતા રાજપીપળા પોલીસે અ. મોત દાખલ કરી છે.

(11:53 pm IST)